Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

આદિજાતિ વિસ્તારમાં શાખા પ્રશાખા પર ચેકડેમ બનવાશે

કપરાડા તાલુકામાં નવી કામગીરી હાથ ધરાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ૯ કરોડ ૮૫ લાખ રૂપિયાના કામને મંજુરી

અમદાવાદ,તા.૧૫ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના દૂર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં દમણગંગા અને કોલક નદીની શાખા-પ્રશાખા પર ૧૧ મોટા ચેકડેમ બાંધવા માટે કરોડ ૮પ લાખની રકમ મંજૂર કરી છે. વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતો અને ગુજરાતના ચેરાપૂંજી તરીકે જાણીતો છે. અહિં ૧૦૦ થી ૧૧૦ ઇંચથી વધુ વરસાદ પડે છે પરંતુ કપરાડાની ભૌગોલિક પરિસ્થિતીના કારણે ડુંગરાળ અને વધુ ઢોળાવ વાળી નદીઓ હોવાથી વરસાદી પાણી ઝડપથી સમૂદ્રમાં વહી નકામું જાય છે. વરસાદી પાણીના સંગ્રહના અભાવે, બહુધા આદિજાતિ ખેડૂતોને ચોમાસા પછી વરસાદી પાણીનો લાભ મળતો નથી તેથી ચોમાસા બાદ પિયતની ખેતી પણ થઇ શકતી નથી. મુખ્યમંત્રીએ આદિજાતિ ધરતીપુત્રોની સમસ્યા નિવારવાના હેતુ સાથે શિયાળા-ઉનાળામાં સિંચાઇ માટે અને પશુ-ઢોરઢાંખરને પીવા માટે પાણીની સર્જાતી ગંભીર મુશ્કેલીઓ નિવારવાના સંવેદનાસ્પર્શી ભાવ સાથે ૧૧ મોટા ચેકડેમ બાંધવાના નિર્ણયને મંજૂરી આપી છે. ૧૧ ચેકડેમનું નિર્માણ થવાથી ૭૩ મીટર ઘનફૂટ જેટલો જળસંગ્રહ થઇ શકશે તેમજ ૧૯૬ હેકટર જેટલી ખેતીલાયક જમીનને સિંચાઇનો આડકતરો લાભ મળતો થશે. અત્રે નિર્દેશ કરવો રૂરી છે કે ૧૧ ચેકડેમ બંધાવાને પરિણામે ચોમાસામાં નકામા વહી જતા દમણગંગા અને કોલક નદીના પાણીનો સંગ્રહ થવાથી ભૂર્ગભ જળસ્તર ઊંચા આવશે. એટલું નહિ, ચેકડેમના ઉપરવાસમાં સંગ્રહીત થયેલા પાણીનો મહત્તમ ઉપયોગ કરીને ચોમાસાની ઋતુ પછી પણ આદિજાતિ કિસાનો ઘરઆંગણે શાકભાજી, ફળફૂલ જેવા પાકો પકવીને રોજીરોટી મેળવી શકશે. ઘર વપરાશના પાણીનો પ્રશ્ન પણ ચેકડેમના ઉપરવાસમાં સંગ્રહીત થનારા પાણીથી હલ થશે અને પાણી ઉપલબ્ધ થતાં પશુપાલન ડેરી વ્યવસાયને વેગ મળશે. મુખ્યમંત્રીએ કરોડ ૮પ લાખના ખર્ચે જે ૧૧ ચેકડેમ બાંધવાની મંજૂરી આપી છે તેમાં દમણગંગા નદીની શાખા-પ્રશાખા પસાર થતી હોય તેવા દહીખેડ, ધમણગવન, એકલારા-, કરચોંડ-, કરચોંડ-, માલઘર, નરવડ, પેન્ડર દેવી અને વડોલીમાં તેમજ કોલક નદી પર લવકર- અને લવકર- એમ કુલ-૧૧ ચેકડેમ બાંધવામાં આવનાર છેદરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ આધારિત ઉદવહન સિંચાઇ લિફટ ઇરીગેશનથી વંચિત પૂર્વપટ્ટીના વિસ્તારોને સિંચાઇ સુવિધા પૂરી પાડવા ર૪૯.૬૧ કરોડ રૂપિયાની યોજના મંજૂરી કરી છે. જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના પૂર્વપટ્ટીના ગામોને સિંચાઇનો લાભ યોજનાથી મળતો થશે. ભાદર, કડાણા અને પાનમ જેવા મોટા જળાશયો અને સુજલામ સુફલામ કેનાલની વચ્ચે હોવા છતાં વિષમ પડકારરૂ ભૌગોલિક પરિસ્થિતીને કારણે લાંબાગાળાથી સિંચાઇ વંચિત રહેલા પૂર્વપટ્ટીના ગામોમાં ઇજનેરી કૌશલ્યથી સિંચાઇ સુવિધા પહોચાડવા મુખ્યમંત્રીની દ્રઢ ઇચ્છાશકિતને પરિણામે મહત્વાકાંક્ષી યોજનાને તેમણે મંજૂરી આપી છે. સમગ્રતયા પંચમહાલ જિલ્લાના ૮પ ગામોના ૧ર૮ તળાવો ઉપરાંત નાની સિંચાઇના ૧૧ સિંચાઇ તળાવો મળીને ૩પ૦૦ હેકટર જમીનને આના પરિણામે સિંચાઇ સુવિધા મળતી થવાની છે.

(9:40 pm IST)