Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

નડિયાદની ગણેશપોળમાં જર્જરિત ગોડાઉનમાંથી 16 હજારનો માલસામાન સગેવગે કરનાર પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ: શહેરમાં આવેલ ગણેશપોળમાં ૫૦ વર્ષ જૂની ત્રણ માળની એક બિલ્ડીંગ કે જે દુકાન તરીકે ઉપયોગ થતી હતી. બિલ્ડીંગના બે માળ બાજુમાં રહેતાં મકાન માલિકે દુકાન માલિકની જાણ બહાર ઉતારી પાડી દુકાનમાં મૂકેલ રૂ.૧૬,૩૫૦નો માલસામાન સગેવગે કર્યો હોવાના આક્ષેપ વાળી ફરિયાદ પિતા-પુત્ર સામે નોંધાવા પામી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદી બજારમાં રહેતાં પ્રવિણભાઈ મોહનભાઈ ઠક્કરની ગણેશપોળમાં zદુકાન આવેલી છે. ત્રણ માળની દુકાનનો નીચલો ભાગ તેઓ ગોડાઉન તરીકે ઉપયોગ કરતાં હતાં. તેની બાજુમાં શશીકાન્ત ઓચ્છવલાલ ઠક્કરનું મકાન આવેલુ છે. બંને મિલ્કત આશરે ૫૦ વર્ષ જૂની છે. અને જર્જરીત હોઈ નડિયાદ નગરપાલિકા દ્વારા ચોમાસા અગાઉ બંનેને નોટીસ પાઠવી હતી. તા.૧૫--૧૯ ના રોજ પ્રવિણભાઈ તેમના ગોડાઉન તરીકે ઉપયોગ થતી દુકાનમાં ગયાં ત્યારે ઉપરના બંને માળ તૂટેલા હતાં. અને ગોડાઉનમાંથી સૂટકેશ, પંખા, થેલા વગેરે મળી રૂ.૧૬,૩૫૦નો માલ પણ ગાયબ હતો.

(6:02 pm IST)