Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

બોરસદની સબજેલમાંથી ફરાર થયેલ બળાત્કારના ગુનાહના આરોપીને અદાલતે બે વર્ષની સજાની સુનવણી કરી

બોરસદ: શહેરની સબજેલમાંથી ફરાર થઈ ગયેલા કણભાના બળાત્કારના ગુનાના આરોપીને બોરસદની કોર્ટે બે વર્ષની કેદની સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર કણભા ગામે રહેતો ઈમરાનશા સીકંદરશા દિવાન એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી જઈ તેણી પર દુષ્કર્મ ગુજારતાં અંગે વીરસદ પોલીસ મથકે ગુનો દાખલ થવા પામ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરીને બોરસદની સબજેલમાં મોકલી આપ્યો હતો. દરમિયાન ગત ૨૧--૧૮ના રોજ ઈમરાનશા દિવાન જેલની દીવાલ કૂદીને ફરાર થઈ ગયો હતો. અંગે બોરસદ શહેર પોલીસે તેના વિરૂદ્ઘ ઈપીકો કલમ ૨૨૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને તપાસ બાદ તેને ઝડપી પાડીને પુન: સબજેલમાં મોકલી દીધો હતો. પોલીસે તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ બોરસદની કોર્ટમાં ફાઈલ કર્યું હતુ.

(6:00 pm IST)