Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ગોધરાની પંચામૃત ડેરીના પૂર્વ પ્રમુખ-પૂર્વ સાંસદ ભુપેન્દ્રસિંહ સોલંકી સહીત નવ લોકો વિરુદ્ધ કરોડોની ઉચાપતની ફરિયાદ

ડેરીમાંથી વિતરણ કરવામાં આવેલા દુધ છાશના ખોટા દસ્તાવેજો બનાવ્યાનો આરોપ

ગોધરાની પંચામૃત ડેરીના પૂર્વ પ્રમુખ અને પંચમહાલના પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી સહિત નવ વ્યક્તિઓ સામે કરોડો રૂપિયાના ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. પંચામૃત ડેરીમાં કર્મચારીઓએ જેતે સમયે પૂર્વ આયોજિત કાવતરુ રચીને નાણાકીય ઉચાપત કરી હોવાનું બહાર આવ્યુ હતુ.

ડેરીમાં અલગ અલગ હોદ્દા પર રહેલા નવ જેટલા વ્યક્તિઓએ પોતાના અંગત લાભ માટે ડેરીમાંથી વિતરણ કરવામાં આવેલા દુધ છાશના ખોટા દસ્તાવેજો બનાવ્યા અને રૂપિયા એક કરોડ 49 લાખથી વધુની ઉચાપત કર્યાની ફરિયાદ નોધાઈ છે. ડેરીના માર્કેટિંગ મેનેજર ચિરાગ પટેલે શહેરના બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

(12:20 pm IST)