Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

નડિયાદ તાલુકાના બિલોદરા નજીક તળાવમાં ગાયને બચાવવા ગયેલ યુવકને કરંટ લાગતા કમકમાટીભર્યું મોત નિપજતા પરિવારની માથે આભ ફાટ્યું

નડિયાદ:તાલુકાના બિલોદરા નજીક આવેલ એક તળાવમાં ગાયને બચાવવા ગયેલ યુવકને કરંટ લાગતા મૃત્યુ નિપજયુ હતુ.  આ બનાવની જાણ સ્થાનિક નાગરિકોને થતા ગ્રામજનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. 

આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર બુધવારના રોજ બિલોદરા નજીક આવેલ એક તળાવ નજીક આવેલ વીજ ડી.પી માંથી એક વાયર છુટો પડી ગયો હતો. તે વાયર તળાવમાં પડતા કરંટ ચાલુ હતો. તે સમયે કેટલીક ગાયો તળાવમાં પાણી પીવા માટે આવી હતી તે માંથી કરંટ લાગતા એક ગાય  તરફડવા માંડી હતી. આથી યુવક તળાવમાં પડતા ગ્રામજનોએ જણાવ્યા અનુસાર મહેશભાઇ ભરવાડના નામનો યુવક તળાવમાં પડયો હતો. જો કે તે સમયે ગાય અને યુવકને કરંટ લાગતા મૃત્યુ નિપજયા હતા. આ બનાવ બનતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી.

 

(5:35 pm IST)