Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

વિસનગરમાં અપરણિત પ્રૌઢ મહિલા સાથે સંબંધ કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

વિસનગર: વિસનગરમાં રહેતા વકીલના એક ગુમાસ્તાએ અપરણિત પ્રૌઢ મહિલા સાથે સબંધો કેળવી લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ ઘરમાં અવરજવર દરમ્યાન રોકડ અને દાગીનાની ચોરી કરી ચામાં ઘેનની ગોળી નાંખી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

વિસનગરની એક અપરણિત પ્રૌઢ મહિલાને કોર્ટમાં દાવો ચાલતો હોઈ વકીલના ગુમાસ્તા જોડે સંપર્ક થયો હતો. દાવાના કામે મહિલા ઘરે અવરજવર વધતા મિત્રતાનો સબંધ થયો હતો. મિત્રતાના સબંધમાં  ગુમાસ્તાએ મહિલાને લગ્નની લાલચ આપી હતી. મહિલાનુ અન્ય એક સોસાયટીમાં મકાન બનતુ હોઈ ત્યાં મજુરોને ચા આપવા માટે ગયા હતા.ત્યાંથી પરત આવી ઘરના પ્રથમ માળે આવેલ તિજોરીમાં તપાસ કરતા અંદર મુકેલા રોકડ તથા સોના-ચાંદીના દાગીના ગુમ થયા હોવાનુંમાલુમ પડેલ. આ અગાઉ દાવાના કામે અવરજવર હતી તે વખતે આ વ્યક્તિએ મહિલાને લગ્નની શરતો  અને  લગ્નની તારીખ નક્કી કરી વિશ્વાસમાં લઈ શરીર સુખ માણતો હતો. મહિલાએ લગ્ન કરવાનુ કહેતા ના પાડી હતી. ત્યારબાદ આ વ્યક્તિ મહિલાના ઘરે દુધની થેલી લઈને આવતો હતો અને જાતે ચા બનાવતો હતો. જેમાં ગેનની ગોળી નાંખી તેણીની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરતો હતો. પોતાની સાથે થયેલા અન્યાય બાબતે ૫૦ વર્ષની ઉંમરની અપરણિત મહિલાએ રેન્જ આઈજીને અરજી કરી હતી. જેના આધારે પોલીસે મહિલાની ફરિયાદ લઈ ઘરમા ચોરી કરનાર અને દુષ્કર્મ આચરનાર કેતનકુમાર મંગળદાસ પરીખ જૈન રહે.કાજીવાડોજૈન દેરાસરની સામે વિસનગરવાળા વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

 

(5:32 pm IST)