Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સચિનને જામીન મળતા મહેંદી હત્યા કેસમાં વડોદરા પોલીસે ધરપકડ કરી

પેથાપુર ગૌશાળા પાસે બાળક શશાંકને તરછોડવાના કેસમાં : સચિનના ટ્રાન્સફર ઓર્ડર મેળવી પોલીસ વડોદરા કોર્ટમાં રજ

અમદાવાદ, તા.૧૪ ગાંધીનગરના પેથાપુરમાં લીવઈનમાં રહેતી મહિલાની હત્યા કરી તેના પુત્રને ગૌશાળા પાસે તરછોડી જવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી સચિન દીક્ષિતના બાળકને તરછોડવાના કેસમાં રિમાન્ડ પુર્ણ થતાં ગાંધીનગર કોર્ટે ૧૫ હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા. જ્યારે મહેંદીની હત્યા કરવાના કેસમાં વડોદરા પોલીસે ધરપકડ કરતા હવે સચિનને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

 બાળકને તરછોડવાના કેસમાં ૩ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સચિન દિક્ષિતને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં સચિનના વકીલે રજૂઆત કરી હતી કે, આ ગુનામાં સચિન સામે જે કલમ ઉમેરવામાં આવી છે, તે ખોટી છે. તેની સામે નામજોગ કોઈ ફરિયાદ થઈ નથી, તેના આધારે ધરપકડ કરાઈ હતી. જે કલમ લગાવાઈ તે આ કેસમાં લાગુ પડતી નથી. ગાંધીનગર કોર્ટે આ દલીલો માન્ય રાખીને જામીન આપ્યા છે, તો બીજી તરફ પત્ની હીનાના હત્યા કેસમાં સચિન દીક્ષિતની વડોદરા પોલીસે ધરપકડ કરી છે, હવે સચિનને વડોદરા કોર્ટમાં રજૂ કરાશે.

 બાળક તરછોડવાના કેસમાં સચિન દિક્ષિતે જામીન અરજી કરી હતી. લિગલ સેલ તરફથી મળેલા સચિનના વકીલે  ગાંધીનગર કોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારે સચિનના વકીલે કોર્ટમાં કહ્યું કે, સચિનનો ગુનો જામીન લાયક છે તેની સામે કલમ ૩૬૩ અને ૩૧૭ લગાવી છે. આ ગુનામાં અજાણ્યા ઈસમ સામે પોલીસે ફરિયાદ કરી છે. સચિનની સામે નામજોગ ફરિયાદ નથી, તેથી સચિનને આ કેસમાં જામીન પર મુકત કરવામાં આવે. હજુ   ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે. માટે તે સાબિત થતું નથી કે, ત્યજવામાં આવેલુ બાળક સચિનનું જ છે, તેથી તેના પર ૩૬૩ અને ૩૧૭ કલમ લાગુ પડતી નથી. આ કારણે સચિનને જામીન મળવા જોઈએ. બીજી તરફ, આરોપી સચિનના ટ્રાન્સફર ઓર્ડર વડોદરા પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા છે. સચિન દીક્ષિતની વડોદરા પોલીસે ધરપકડ કરી છે અને હવે તેને વડોદરા કોર્ટમાં રજૂ કરાશે.

(12:06 pm IST)