Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જો અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં ટિકિટ નક્કી કરતો હોય તો ભાજપમાં કેમ ગયો ? : જયરાજસિંહ પરમારનો સવાલ

અમદાવાદ : રાધનપુર બેઠકના ભાજપના ઉમેદવારનો જૂનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં અલ્પેશ ઠાકોરે એક જાહેર સભામાં શેખી મારી હતી કે કોંગ્રેસમાં રાજા હતો અને ધારુ તેને દેશમાં ટિકિટ અપાવી શકતો હતો. ત્યારે આ વીડિયો વાયરલ થતાં કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે અલ્પેશ ઠાકોર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોર ડંફાંૃશ મારે છે. કોંગ્રેસનું હાઈકમાન્ડ ટિકિટ નક્કી કરે છે. જો અલ્પેશ ઠાકોર ટિકિટ નક્કી કરતો હોય તો ભાજપમાં કેમ ગયો.

(8:02 pm IST)