Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા ત્રણ કંપની અંગે સુનાવણી

રાજકોટઃ ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા હડમતીયાળા ખાતે ત્રણ કંપની અંગે એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાના અધ્યક્ષપદે સુનાવણી હાથ ધરાઇ હતી, મારૂતિ મીકા, ડેલ લેમીનેટ તથા સાઇરાજ અંગે સુનાવણીમાં આ કંપનીઓ શરૂ થાય તો પર્યાવરણ, પાણી, જમીનને કોઇ નુકશાન તો નથી ને તે જોવાયું હતું, કંપનીઓ તરફથી પ્રોજેકટો રજૂ કરાયા હતા, આસપાસના ૧૦ કિ.મી.ના એરીયામાં આવતા ગામોના સરપંચો-ગ્રામ્યજનોની રજુઆતો સાંભળવામાં આવી હતી, આ સુનાવણી બાદ ગુજરાત પોલ્યુશન બોર્ડ પોતાનો રીપોર્ટ વડી કચેરીને મોકલશે અને ત્યારબાદ પર્યાવરણ અંગેનું સર્ટિફિકેટ અપાશે તેમ સુત્રોએ ઉમેર્યું હતું.

(3:32 pm IST)