Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

નિરમા યુનિ.ના કાયદાના લો-સ્ટુડન્ટોને સીબીઆઈનું બેકગ્રાઉન્ડ ધરાવતા એસીબી વડા કેશવકુમારના જ્ઞાનના અનુભવનો લાભ મળ્યો

રાજકોટઃ. તાજેતરમાં નિરમા યુનિવર્સિટી દ્વારા તેમની યુનિવર્સિટીમાં કાયદા શાસ્ત્રનો અભ્યાસ કરતા (લો-સ્ટુડન્ટો)ને વિવિધ તજજ્ઞોનો લાભ આપવાના હેતુથી રાજ્યના સિનીયર આઈપીએસ કેશવકુમારના અનુભવનો પ્રેકટીકલ લાભ મળે તે માટે તેમને ઉદબોધન માટે ખાસ આમંત્રીત કર્યા હતા. સીબીઆઈનો ખૂબ જ બહોળો અનુભવ ધરાવતા કેશવકુમાર કાયદા ઉપરાંત પોલીસીંગ અને ફોરેન્સીંક સાયન્સ ક્ષેત્રે અદ્ભૂત જ્ઞાન અને અનુભવ ધરાવે છે. નવો યુગ ફોરેન્સીક પુરાવાનો હોય લો-સ્ટુડન્ટોએ આ ક્ષેત્રમાં પણ પોતાનું જ્ઞાન વિકસીત કરવુ જોઈએ તેવી તેઓએ અનેક દ્રષ્ટાંતો સાથે પ્રતિપાદીત કર્યુ હતું. લો-સ્ટુડન્ટોએ પણ ખરા અર્થમાં તજજ્ઞનો લાભ મળતા પ્રસંશા વ્યકત કરી હતી.

(1:30 pm IST)