Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

વિરમગામમાં આઇ શ્રી ખોડીયાર મંદિરના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ કરાયો

મંદિરના 27માં પાટોત્સવે ભક્તો ઉમટ્યા અને મહાપ્રાસાદનો લાભ લીધો

વિરમગામ: શહેરમાં મુનસર રોડ પર આવેલા આઇ શ્રી ખોડીયાર મંદિર ખાતે આસો સુદ પુનમ શરદ પુર્ણિમા ના પાવન દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આઇશ્રી ખોડીયાર માતાજી મંદિરના 27માં પાટોત્સવે વહેલી સવારથી ભક્તો માતાજીના મંદિરે ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો.

   ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધીથી નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંજે શ્રીફળ હોમીને યજ્ઞની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ નવચંડી યજ્ઞ તથા આઇ શ્રી ખોડીયાર માતાજીના દર્શનનો અમુલ્ય લાભ લીધો હતો.

   શરદ પુર્ણિમાએ આઇ શ્રી ખોડીયાર મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યુ હતુ અને આઇ શ્રી ખોડીયાર માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આઇશ્રી ખોડીયાર માતાજી મંદિરના 27માં પાટોત્સવ નિમિત્તે સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

(8:51 pm IST)