Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અમદાવાદમાં મારવાડી સમાજના સવર્ણકારો લડાયક મૂડમાં :પોલીસ હેરાન કરતી હોવાનો આક્ષેપ

અમદાવાદ :અમદાવાદમાં મારવાડી સમાજના સવર્ણકારોએ ફરિયાદ કરી કે પોલીસ તરફથી તેઓને કારણ વગર હેરાન કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં મારવાડી લોકોનું કહેવું છે કે તેમની સાથે આંતકવાદી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
   અમદાવાદમાં હવે મારવાડી સમાજના સવર્ણકારોએ સરકાર સામે લડત શરુ કરી છે. સવર્ણકારોને કારણ વગર પોલીસ હેરાન કરતી હોવાનો આક્ષેપ આ સોની વેપારીઓએ કર્યો છે. એટલુ જ નહિ તેમની સાથે ચોર અને આંતકી જેવો વ્યવહાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ વેપારીઓએ કર્યો છે. ત્યારે સરકાર સામે લડત લડવા સવર્ણકાર યુવા સેનાની રચના કરવામાં આવી છે.

(10:06 pm IST)