Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સુરતમાં પખવાડિયામાં પરપ્રાંતીયો પર હુમલાની કોઈ ઘટના બની નથી :પોલીસ કમિશનર

પરપ્રાંતીય યુવક અમરજિતસિંહની મૃતદેહ મળતા હત્યાના આરોપ બાદ પોલીસ કમિશનરનો બીજીવાર ખુલાસો

સુરતમાં અમરજીતસિંહ નામના પરપ્રાંતિય યુવકના મોત બાબતે પોલીસ કમિશનરે ફરી એક વખત ખુલાસો કર્યો છે. અને છેલ્લા 15 દિવસમાં સુરતમાં પરપ્રાંતિયો પર હુમલાની એક પણ ઘટના ન બની હોવાનું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, વેસુ વિસ્તારમાંથી અમરજીત સિંહ નામના યુવકનો મૃતદેહ મળ્યો હતો. તેનું માર્ગ અકસ્માતમાં મોત થયુ હતુ. જોકે તેની હત્યા થયાનો આક્ષેપ થયો હતો. પરંતુ પોલીસ કમિશનરે કહ્યુ કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મોતનું કારણ અકસ્માતનો ખુલાસો થયો છે

(6:07 pm IST)