Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

અમદાવાદમાં પુત્રને સ્‍વપ્‍ન આવ્‍યુ કે, તેના કારણે પિતાનું મોત થયુ છે અને સઅબરમતીમાં ઝંપલાવીને પુત્રએ જીવ દઇ દીધો

સ્‍યુસાઇડ નોટના આધારે મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ

અમદાવાદ: શહેરની સાબરમતી નદીના દધીચી બ્રિજ પરથી તાજેતરમાં એક યુવકે મોતની છલાંગ લગાવી આપઘાત કર્યાનો વિડીયો વાયરલ થયો હતો. ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી છે. પોલીસે મૃતકના ઘરે તપાસ કરતા મૃતકે આપઘાત કરતા પહેલા ભાઈને સંબોધીને એક પત્ર લખી આપઘાત કર્યો છે. સુસાઇડ નોટ પોલીસે કબ્જે કરી છે.

મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, " મારા પિતાએ મને કહ્યું કે મારા કારણે તેમનું મોત થયું છે. જેથી હું મારા પિતા પાસે માફી માંગવા જઈ રહ્યો છું. મારા મૃત્યુ પાછળ કોઇ જવાબદાર નથી. મારા ભાઈ અને ભાભીનો મારા આપઘાત બાબતે કોઈ વાંક નથી. જેથી તેમને કોઈ હેરાન કરવા નહીં " સ્યુસાઇડ નોટ મળ્યા બાદ થોડા સમય માટે પોલીસ પણ અચંબામાં પડી હતી.

આપઘાત કરનાર યુવકના ખિસ્સામાંથી પ્રકારની સુસાઇડ નોટ મળી આવતા પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે હકીકતના મૂળ સુધી પહોંચવા માટે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. સ્વર્ગવાસી પિતા રમણભાઈના મોત માટે પોતાને જવાબદાર ગણી આપઘાત કરનાર રજનીકાંત પરમારના કેસ બાબતે પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(4:50 pm IST)