Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

પ્રદેશ ભાજપમાં લાગેલી આગને ઠારવા કાલે વડાપ્રધાન મોદી આવી રહ્યા છેઃ શપથવિધીમાં હાજર રહેશે

અમદાવાદઃ મંત્રીમંડળમાં વિસ્તરણને લઇને પ્રદેશ ભાજપમાં લાગેલી આગને ઠારવા વડાપ્રધાને ખુદ મામલો પોતાના હસ્તક લીધો હોવાનું જાણવા મળે છેઃ વીટીવીના એક અહેવાલ અનુસાર આવતીકાલે શપથવિધી યોજાઇ રહી છે અને તેમાં વડાપ્રધાન ખુદ હાજર રહેશેઃ મંત્રીમંડળમાં વિસ્તરણને લઇને પ્રદેશના નેતાઓમાં અને જેમને પડતા મુકવામાં આવનાર છે તે સંભવિતોમાં જબરો રોષ ભડકી ઉઠ્યો છે અને આજે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હતું તે પણ મુલત્વી રહ્યુ છે અને ગુજરાતના પડઘા દેશભરમાં પડતા મામલો વડાપ્રધાને પોતાના હસ્તક લઇ લીધો છેઃ કાલે તેમની હાજરીમાં જ વિસ્તરણ થશે તેવું અહેવાલ જણાવે છેઃ તેઓ ૧.૩૦ વાગ્યે હાજરી આપીને કેવડીયા જવા રવાના થશેઃ અત્રે એ ઉલ્લેખનીય છે કે ૧૭મીએ શુક્રવારે તેમનો જન્મદિવસ છે

(4:03 pm IST)