Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

દાંતીવાડા તાલુકામાં 55 વર્ષીય પુજારીની હત્યા;પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની આશંકા

વિધવા મહિલા પુજારીના ઘરે આવતા જતા હોય આરોપી અને પૂજારી વચ્ચે વિવાદ હતો ;જાનથી મારી નાખવા ધમકી પણ આપેલ

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં 55 વર્ષીય પૂજારીની હત્યા કરાઈ છે મંદિરના પૂજારીની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા છે. મૃતક મનસાપુરી ગોસ્વામી હરિયાવાડા ગામમાં મંદિરમાં પૂજા કરતા હતા.

 વિધવા મહિલા ક્યારેક પૂજારીના ઘરે આવી બેસતા. જે મામલે અગાઉ મૃતક અને આરોપી વચ્ચે વિવાદ સર્જાયો હતો. આરોપી કરશનભાઈ દ્વારા પંડિતને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.જે બાદ ગઈકાલે બળતણના લાકડા લેવા માટે પૂજારી જંગલમાં ગયા હતા. ત્યારે જંગલમાં જ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.

 મોડે સુધી ઘર પર પરત ન ફરતા આખરે તપાસ કરતા જંગલમાંથી તેમની લાશ મળી આવી હતી. ગામના આગેવાનો દ્વારા પોલીસને જાણ કરી હતી.પોલીસે લાશને પીએમ અર્થે દાંતીવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી.મૃતકોના સગાઓએ તાત્કાલીક આરોપીને પકડવાની માંગ કરી હતી.

(10:11 pm IST)