Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

કપડવંજના ચારણિયામાં નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર યુવતીએ ઝંપલાવ્યું

કપડવંજ:ના ચારણીયામાં પસાર થતી નર્મદાની કેનાલમાં એક યુવતીએ કોઈ કારણોસર નહેરમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. યુવતીએ પોતાનું એક્ટીવા નહેરના બ્રીજ ઉપર પાર્ક કરી નહેરમાં ઝંપલાવતા ચકચાર જાગી છે. આ અંગે આતરસુંબા પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ બનાવમાં મળતી વિગતો અનુસાર કપડવંજ તાલુકાના તોરણા ગામે અશોકભાઈ શાહ રહે છે. તેઓ પોતે ખેતી કામ સાથે સંકળાયેલા છે. અશોકભાઈને સંતાનમાં બે દિકરી છે. જેમાં સૌથી મોટી ક્રિષ્ના અને નાની શીવાની (ઉં.વ.૨૨) સાથે અશોકભાઈ હળી મળીને રહેતા હતા. શીવાની કપડવંજ ખાતે આવેલ કોલેજમાં ટી.વાય બી.કોમમાં અભ્યાસ કરે છે. આજે બપોરે શીવાની પોતાના ઘરે હતી ત્યારે તેની મોટી બહેન ક્રિષ્નાને કહ્યુ કે હું પફ લઈને આવુ છું તેમ કહી શીવાની એક્ટીવા નં.જી.જે.૦૭ સી.ઈ.૫૪૪૬ લઈને નીકળી હતી.  

(5:33 pm IST)