Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

પાટીદારોને અનામત સહિતના મુદ્દે કોંગ્રેસ સ્ટેન્ડ ક્લિયર કરે:નહીંતર ભાજપ- કોંગ્રેસ બંનેનો વિરોધ કરશું :એસપીજીના લાલજી પટેલનો રાહુલ ગાંધીને પત્ર

અમદાવાદ :અેસપીજીના લાલજી પટેલે કોંગ્રેસને પત્ર લખ્યો છે.જેમાં કેટલીક સ્પષ્ટતાઅો કરવાનો નિર્દેશ કર્યો છે. જો રાહુલ ગાંધી અા બાબતે હામી ભરશે તો શું પાટીદારો ભાજપની સામે 2019ની લોકસભામાં કોંગ્રેસને સાથ અાપશે તેવી પણ અેક ચર્ચા અાજે જાગી છે. SPGઅે ગુજરાત રાજ્યના પાટીદાર સમાજ અંગે અનામત અને ખેડૂતોની દેવામાપી સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને સંબોધીને અેક પત્ર લખ્યો છે. જેની નકલ અેક રાહુલ ગાંધીને પણ મોકલાઈ છે.

  અા પત્રમાં કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ઉગ્ર રજૂઅાતો કરવા માટેની માગણી કરાઈ છે. શું અા બાબતો કોંગ્રેસ સ્વીકારશે અે પણ અેક પ્રશ્ન છે અને કોંગ્રેસ સ્વીકારે તો પાટીદારો અા બાબતે કોંગ્રેસની સાથે અાવશે અે અેક રાજકીય મામલો બની ગયો છે. જેરામ પટેલની વિનવણી બાદ અેસપીજીના અાક્રમક કાર્યક્રમો હાલ પૂરતા તો પોસ્ટપોન્ડ કરાયા છે પણ અાગામી દિવસોમાં અા અાંદોલન વધુ ઉગ્ર બની શકે છે.

 

(12:58 pm IST)