Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સુરતમાં રખડતા પશુઓ મામલે મનપાના અધિકારીઓ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ

 

સુરતઃ શહેરમાં રખડતા પશુઓને પકડવા માટે આવેલા મનપાનાં અધિકારીઓ સાથે પશુપાલકોએ મળીને દાદાગીરી કરી છે. ગાયને છોડાવવા માટે પશુપાલકોએ મારામારી કરી હતી.

  શહેરમાં રસ્તા વચ્ચે પશુઓને છોડવામાં આવે છે. જેનાં કારણે મનપા દ્વારા પશુઓને પકડવામાં આવે છે. ત્યારે શહેરનાં ભટાર વિસ્તારમાં પશુપાલકો દાદાગીરી કરતા જોવાં મળ્યાં છે.

. સુરતનાં ભાઠે વિસ્તારમાં મનપાની ટીમે રખડતા ઢોરોને ઝડપી રહી હતી તેવાં સમય દરમ્યાન પશુપાલકો અને મનપાની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

પશુપાલકો જાહેરમાં દાદાગીરી પર ઉતરી આવ્યાં હતાં અને દબાણ હેઠળ કબ્જે લેવાયો સમાન પણ ફેંકી દેવામાં આવ્યો હતો.

(12:36 am IST)