Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટિ પાસે શહિદ પાટીદાર યુવાનોની યાદમાં બનાવાશે ત્રિવિધ ભવન: દિલિપ સાબવા

અમદાવાદ :હાર્દિક પટેલના પરિણામ વગરના ઉપવાસના પારણા થયા બાદ પાસના એક આંદોલનકારીએ સરકાર સામે મોરચો માંડ્યો છે. પાસના સંગઠન પ્રભારી કહેવાતા દિલિપ સાબવાએ 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટિ નજીક શહિદ પાટીદાર યુવાનોની યાદમાં ત્રિવિધ ભવન બનાવવાની જાહેરાત કરી છે

 વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીને ટાર્ગેટ કરતાં દિલિપ સાબવાએ કહ્યુ કે ત્રણ વર્ષથી ચાલતા આંદોલનમાં 14 પાટીદાર યુવાનો શહિદ થયા હોવા છતાં તેમણે કોઇ શબ્દ ઉચ્ચાર્યો નથી. ત્યારે જેમની કર્મભૂમિ.જન્મભૂમિ અને માતૃભૂમિ ગુજરાત હોઈ તેવા પ્રધાનમંત્રીને ગુજરાતના પાટીદારો અને ખેડૂતોની વેદનાનો સંદેશો આપવા માટે કિસમે હે કિતના હે દમ જે આ કાર્યક્રમ આપશે,

(1:20 pm IST)