Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

નડિયાદ નજીક ડાકોર હાઇવે પર ટાયર બદલી રહેલ ચાલકને આઇસરે હડફેટે લેતા બે શખ્સોના મૃત્યુ

નડિયાદ : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક ડાકોર એક્ઝિટ પાસે એક ટ્રક ચાલકે પંચર પડેલા આઇસરના પાછળના ભાગે ટક્કર મારતા ટાયર બદલતા ડ્રાઇવર તથા એક યુવાનને ગંભીર ઇજાઓ થતા બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવ સંદર્ભે નડિયાદ શહેર પોલીસે ટ્રક ચાલક વિરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ રામોલ ખાતે કિશોર દેસારામ પાલીવાલ રહે છે. તેઓ અમદાવાદમાં વાલ ખાતે ફાર્મા મેડિકલ ની દુકાન ચલાવે છે. તેઓના કાકાના દીકરા મયુર જગદીશભાઈ પાલીવાલ (રહે. જીઆઇડીસી અંકલેશ્વર) નાઓ બ્લુસ્ટક લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની ઓફિસ રામોલ અમદાવાદ ખાતે ચલાવે છે. તેઓ આઇસર ભાડે આર્પેો છે તે આઇસર નડિયાદ એક્સપ્રેસ હાઈવે રોડ ઉપર ડાકોર એક્ઝિટ નજીક પંચર પડતા ઉભી હતી. દરમિયાન મયુરભાઈ તથા ડ્રાઇવર હબીબજી ઈમાદી ઉમરાનાઓ પંકચર પડેલ ટાયર બદલતા હતા. દરમિયાન અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવતી ટ્રકે આઇસરને પાછળથી ટક્કર મારતા મયુરભાઈ તથા હબીબજી ઉમરાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા મયુરભાઈ નું ઘટના સ્થળે મૃત્યુની જીવ હતું. જ્યારે હબીબજીને સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે નડિયાદ શહેર પોલીસે ટ્રક ચાલક વિરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:17 pm IST)