Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

નર્મદા જિલ્લામાં ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: કોરોના પોઝિટિવનો કુલ આંકડો ૫૨૬ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે શનિવારે નર્મદા જિલ્લામાં ૦૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ૦૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં રાજપીપળા ના કાછીયાવાડ-૧,જ્યારે નિકોલી ગામ માં - ૧ મળી નર્મદા જિલ્લા માં કુલ ૦૨ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૧૯ દર્દી દાખલ છે આજે ૧૧ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૪૭૨ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૫૨૬ એ પોહોચ્યો છે આજે વધુ ૧૬૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:55 pm IST)