Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

મહીસાગરના કેણપુર ગામમાં ધ્વજવંદનની ઉજવણી માતમમાં ફેરવાઇ : ધ્વજવંદનનો થાંભલો ઉંચો કરતા 2 બાળકોના કરુણ મોત

સંતરામપુર : આજે ગુજરાત સહિત દેશમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ રહી છે, ત્યારે મહીસાગરના સંતરામપુર તાલુકામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ફિક્કી પડી હતી. અહીં એક દુ:ખદ ઘટના બની હતી, જેના કારણે વિસ્તારમાં શોકનો માહોલ બન્યો હતો.

મહીસાગરના સંતરામપુર તાલુકામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દુખમાં ફેરવાઈ હતી. સંતરામપુર તાલુકાના કેણપુર માધ્યમિક શાળામાં ઉજવણી સમયે દુખદ ઘટના બની હતી. શાળામાં બે વિદ્યાર્થીઓને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત થયા હતા.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, બંને વિદ્યાર્થીઓ ધ્વજવંદનનો થાંભલો ઉંચો કરવા ગયા હતા, અને તેમને કરંટ લાગ્યો હતો. આ ઘટના બાદ બંનેના પરિવાર પર આભ ફાટી નીકળ્યું હતું. બાળકોના મૃતદેહને સંતરામપુર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હતા.

(3:36 pm IST)