Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ગળતેશ્વરના બ્રાંન્ચ પોલીસ માસ્તરે 7 હજારની ઉચાપત કરતા ચોપડે ફરિયાદ નોંધાઈ

ગળતેશ્વર: તાલુકાના નેપાલપુરાના બ્રાંચ પોસ્ટ માસ્તરે ખાતેદારના નાણાં પોસ્ટ ઓફિસના ચોપડામાં જમા ન કરી ઉચાપત કરી હતી. જે અંગે સેવાલિયા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ગળતેશ્વર તાલુકાના નેપાલપુરા ગામે બ્રાંચ પોસ્ટ ઓફિસમાં સોમાભાઈ મથુરભાઈ પરમાર (રહે. મલકણા-અંતીસર, તા. કપડવંજ) બ્રાંચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવે છે. નેપાલપુરામાં રહેતા મેરુનબીબી વાય શેખએ ગત તા.૧૬-૬-૧૭ના રોજ પોતાની બચત ખાતા નં.૨૫૦૧૧૪૭૦૩૧માં પોસ્ટ ઓફિસમાં રૂપિયા ૭૦૦૦ જમા કરાવ્યા હતા. બ્રાંચ પોસ્ટ માસ્તરે આ રકમ સ્વીકારી પાસ બુકમાં જમા કરી આપી હતી. પરંતુ પોસ્ટ ઓફિસના ખાતા ચોપડામાં જમા ન લઈ પોતાના અંગત કામમાં વાપરી નાંખી ઉચાપત કરી ખાતેદાર તથા સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો. 
આ બનાવ અંગે પોસ્ટ ખાતાના અધિકારી દિપકકુમાર જયશંકર પંચાલની ફરિયાદ આધારે સેવાલિયા પોલીસે સોમાભાઈ મથુરભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(4:14 pm IST)