Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

વડનગરમાં કોરોનાનો એકપણ કેસ નહીં છતાં દુકાનો 4 વાગ્યા સુધી જ ખુલી રહેશે: રવિવારે સજ્જડ બંધ

સાવચેતીના ભાગરૂપે પાલિકા અને વેપારી મંડળોની બેઠક બાદ નિર્ણંય લેવાયો

વડનગર : કોરોના મહામારી વચ્ચે વડનગરમાં પાલિકા અને વેપારી મંડળોની બેઠક બાદ સાવચેતીના ભાગરૂપે બપોર બાદ સજ્જડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વડનગર શહેરમાં કોરોનાનો એકપણ કેસ નહી નોંધાયો છતાં વિસનગર, વિજાપુર સહિતના લોકોની આવનજાવન બેફામ બનતાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇ વેપારીઓને સવારે 8:00 વાગ્યાથી બપોરે 4:00 કલાક સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે રવિવારે મેડીકલ અને દૂધ વિતરણ કેન્દ્રો સિવાયની તમામ દૂકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

(12:04 pm IST)