Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

સુરતમાં સરાજાહેર યુવકની હત્યા :રથયાત્રામાં રૂટ પર જ હત્યાથી ખળભળાટ

બીઆરસી પોલીસ ચોકીથી 200 મીટર દૂર અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હત્યાનો વિડિઓ વાયરલ થતા ચકચાર

સુરતમાં સરાજાહેર યુવકની હત્યા કરાઈ છે સોશિયલ મીડિયામાં કલીપ વાયરલ થઈ છે.જે રૂટ પર રથયાત્રા પસાર થવાની હતી તે રૂટ પર યુવકની હત્યા કરવામાં આવ્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે

  જાણવા મળે છે કે યુવકની હત્યા કરવામાં આવી છે તે ઉધના વિસ્તારમાંથી આજે અષાઢી બીજના રોજ રથયાત્રા પસાર થવાની હતી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. અને યુવકની હત્યા થઈ છે તે જગ્યાએથી 200 મીટરના અંતરે બીઆરસી પોલીસ ચોકી આવી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જાહેરમાં યુવકની હત્યા થઈ જતાં સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે.

(8:20 pm IST)