Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રાજ્યના કોરોનાની બીજી લહેર વિદાય ભણી : સાત જિલ્લામાં એકપણ કેસ નહીં

બોટાદ, મોરબી, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ અને છોટાઉદેપુરમાં કોરોનાથી રાહત ભાવનગર ગ્રામ્યમાં એકપણ કેસ નહીં

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની બીજી લહેર વિદાય ભણી છે આજે બીજા દિવસે રાજ્યના 7 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. જેમાં બોટાદ, મોરબી, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. આ સાથે આજે ભાવનગર ગ્રામ્ય વિસ્તાર અને તાલુકાઓમાં પણ કોઈ નવો કેસ સામે ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1000થી વધુ દર્દીઓ સાજા થયા છે.

(9:00 pm IST)