Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

દિયોદર-ભાભર અને સૂઈગામ પંથકમાં પવન સાથે ધીમીધારે વરસાદ

વરસાદથી બાજરીના પાકને નુકસાનની ખેડૂતોએ ભીતિ

 

વાયુ ચક્રવાતની અસરના પગલે બનાસકાંઠા જીલ્લામાં પણ છેલ્લા ચારેક દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે. આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દિયોદર-ભાભર અને સૂઈગામ પંથકમાં આકાશમાં ઘનઘોર વાદળ છવાયા બાદ સુસવાટાભેર પવન સાથે ધીમીધારે વરસાદ શરુ થયો હતો. વરસાદથી બાજરીના પાકને નુકસાનની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી છે.

(12:45 am IST)