Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

બોરસદ તાલુકાના રણોલી ગામે ત્રણ મકાનના તાળા તોડી તસ્કરોએ 1.65 લાખની મતાની ઉઠાંતરી કરી

બોરસદ:તાલુકાના રણોલી ગામે આવેલા સુભાષ ચોકમાં ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ ત્રણેક જેટલા મકાનોના નકુચા કાપીને અંદરથી ૧.૬૫ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. અંગે વીરસદ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. 

 


ચોરીની મળતી વિગતો અનુસાર ફરિયાદી સુમનભાઈ અરવિંદભાઈ પટેલ રણોલી ગામના સુભાષ ચોકમાં રહે છે. ગઈકાલે રાત્રીના સુમારે ચારેક જેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને તેમના બંધ મકાનની લોખંડની જાળીના નકુચા કાપીને અંદર ઘુસ્યા હતા અને તિજોરી તોડીને અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ નજીકમાં રહેતા અમીતભાઈ રજનીભાઈ પટેલના મકાનને પણ નિશાન બનાવીને તેમના લોખંડની જાળીના દરવાજાના નકુચા કાપી નાંખીને ઘુસી ચોરી કરી હતી

(5:02 pm IST)