Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

વડોદરા જિલ્લાના ડભોઇ પાસે ૭ શ્રમિકો ના અપમૃત્યુ થતા વારસદારો ને રૂપિયા ચાર લાખની સહાય અપાશે : વિજયભાઈ રૂપાણી ની જાહેરાત

ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ વડોદરા જિલ્લાના ડભોઇ નજીક એક ખાનગી હોટલ નો ખાળ કૂવો સાફ કરવા ઉતરેલા 7 શ્રમિકો ના થયેલા અપમૃત્યુ અંગે શોક ની લાગણી વ્યકત કરી આ  પ્રત્યેક કમનસીબ મૃતક શ્રમજીવીઓ ના વારસદારને ને 4 લાખ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરી છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ હોટલ સંચાલક સામે પણ કડક કાયદેસર ની કાર્યવાહી કરવાની સુચના જિલ્લા તંત્ર ને આપી છે

વિજય ભાઈ રૂપાણી  નીતિ આયોગ ની બેઠક માટે દિલ્હી ની મુલાકાતે ગયા છે ત્યાં તેમને આ દુર્ઘટનાની જાણ થતા જ સંવેદનશીલતા દાખવી તેમણે   ત્વરિત વિગતો મેળવી આ આદેશો કર્યા છે.

(12:41 pm IST)