Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

રાજકોટ સાથે ત્રણેય અધિકારીઓને નાતો

હર્ષદ વોરા અમદાવાદમાં, પી.બી. રાઠોડ મહેસાણામાં નિવાસી અધિક કલેકટરઃ મેહુલ દવે ડી.આર.ડી.એ.માં

રાજકોટ, તા. ૧૫ :. રાજ્ય સરકારે ગઈકાલે જી.એ.એસ. કેડરના અધિક કલેકટર કક્ષાના ૪ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. અમદાવાદના નિવાસી અધિક કલેકટર મેહુલ કે. દવેને મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે નિમણૂક આપી તેમના સ્થાને અમદાવાદમાં મહેસાણાના નિવાસી અધિક કલેકટર હર્ષદ વોરાને મુકવામાં આવ્યા છે. મહેસાણા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.કે. રાઠોડની પંચમહાલ ટ્રાયબલ એરીયા સબપ્લાનના પ્રોજેકટ વહીવટદાર તરીકે બદલી કરવામાં આવી છે. મહેસાણામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રદીપસિંહ ડી. રાઠોડને મહેસાણામાં જ નિવાસી અધિક કલેકટર બનાવવામાં આવ્યા છે.

ગઈકાલના હુકમો જેને સ્પર્શે છે તેવા ૩ અધિકારીઓનો રાજકોટ સાથે નાતો રહ્યો છે. શ્રી મેહુલ દવે અગાઉ રાજકોટમાં પ્રાંત અધિકારી અને નિવાસી નાયબ કલેકટર તરીકે રહી ચૂકયા છે. પી.બી. રાઠોડ મૂળ રાજકોટના જ વતની છે. અગાઉ વેરાવળ-સોમનાથમાં પ્રાંત અધિકારી, ગાંધીનગર-જૂનાગઢમાં ડે. મ્યુનિસિપલ કમિશનર વગેરે સ્થાને રહી ચૂકયા છે. શ્રી હર્ષદ વોરા અગાઉ રાજકોટમાં નિવાસી અધિક કલેકટર પદે હતા. જોગાનુજોગ તે વખતે રાજકોટમાં કલેકટર તરીકે રહેલા વિક્રાંત પાંડે હાલ અમદાવાદમાં કલેકટર છે.

(11:50 am IST)