Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

અકસ્માતના જુદા-જુદા ચાર બનાવમાં પાદરા તાલુકામાં એક કિશોર સહીત ચાર મોતને ભેટ્યા

પાદરા: તાલુકામાં બનેલા અકસ્માતના અલગ અલગ ૪ બનાવોમાં એક કિશોર સહિત ૪ વ્યક્તિઓના મોત થયા છે જેમાં મુંજપુર ગામના જ બે જણના મોતની ઘટના બની છે. મુજપુર ગામમાં રહેતો ૧૩ વર્ષનો કિશોર રાજેન્દ્ર રણજીતસિંહ ગત તા.૩૦મી મેના રોજ સવારે ૧૧ વાગ્યે સાયકલ લઇને ઘરે આવી રહ્યો હતો ત્યારે બળીયાદેવના મંદિર પાસે એક અજાણ્યા બાઇક ચાલકે તેને અડફેડમાં લીધો હતો. આ અકસ્માતમાં રાજેન્દ્રને ગંભીર ઇજાઓ થતાં તે સારવાર હેઠળ હતો કાલે મોડી રાત્રે એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું. બીજો બનાવ બુધવારનો જ છે જેમાં મુજપુર ગામનો મુકેશ પ્રવિણભાઇ પરમાર (ઉ.૩૧) કાલે સવારે ૧૦ વાગ્યે ડભાસા ગામ નજીક રોડ પર બાઇક લઇને જતો હતો ત્યારે અજાણ્યા ફોર વ્હિલ ચાલકે તેને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓના કારણે મુકેશનું ટુંકી સારવાર દરમિયાન મોત થયુ હતું
 

(6:28 pm IST)