Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ખેડબ્રહ્મા તાલુકાના મટોડામાં 45 વર્ષીય આધેડે કુવામાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું

સાબરકાંઠા: જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામના ૪૫ વર્ષિય આધેડે ગઈકાલે ગામના કૂવામાં ઝંપલાવીને જીવતર ટૂંકાવી લેતાં ગામલોકોમાં ચકચાર મચી ગઈ છે. દરમ્યાન મૃતકની પત્નીએ ખેડબ્રહ્મા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં એવી રજુઆત કરી છે કે, તેના પતિ મટોડા ગામની દૂધ સરકારી મંડળીમાં કામકાજ કરતા હતા. આ મંડળીમાંથી રોકડ રકમની ચોરીની બનેલી ઘટના પાછળ તેજ જવાબદાર છે અને તેમણે જ ચોરી કરી છે તેવા બે સખ્શો દ્વારા લગાવવામાં આવેલા કલંકથી દુઃખી થઈને ગઈકાલે કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આ બનાવમાં આત્મહત્યાનું અંતિમ પગલું ભરનાર ઇશ્વરભાઈ રામાભાઈ ઠાકરડા (ઉ.વ.૪૫)ની વિધવા જશીબેન ઠાકરડાની ફરિયાદના આધારે ખેડબ્રહ્મા પોલીસે આ જ ગામના (૧) જસુભાઈ ગોવાભાઈ પટેલ અને (૨) જશુભાઈ મોઘાભાઇ પ્રજાપતિના વિરૃધ્ધમાં ઇ.પી.કો. કલમ ૩૦૬ હેઠળ ગૂનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
 

(6:27 pm IST)