Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વડોદરામાં શૈલી એન્જિનિયરિંગ કંપનીમાં વીજશોક લાગતા કર્મચારીનું મોતઃ કંપનીની બેદરકારીથી મોત થયાનું અન્ય કર્મચારીઓનો આક્ષેપઃ બસો ઉપર પથ્થરમારોઃ પોલીસ દ્વારા લાઠીચાર્જ

વડોદરાઃ બુધવારે સાવલીના ભાદરવા સાકરદા રોડ પર સ્થિત શૈલી એન્જિનિયરિંગ કંપનીમાં રાત્રીના ફરજ દરમિયાન એક કર્મચારીનું મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પાણીના કુલરમાંથી કર્મચારીને વીજ કરંટ લાગ્યો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું. જો કે કંપનીના અન્ય કર્મચારીઓએ આરોપ લગાવ્યો કે કર્મચારીનું મોત કંપનીની બેદરકારીને કારણે થયું હતું.

સાથી કર્મચારીના મોત બાદ અન્ય કર્મચારીઓએ કંપની બહાર જ દેખાવ કરવાનું શરૂ કરી દીધું, આ દરમિયાન સ્ટાફને લઇને જતી બસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. બેકાબુ બનેલા ટોળાને વિખેરવા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, ભાદરવા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી હળવો લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન કામદારો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું.

(6:25 pm IST)