Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

પાલનપુરના કાણોદર નજીક લગઝરી બસ અને ટ્રક વચ્ચે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત : 3 મુસાફરોના ઘટના સ્થળે જ મોત

બસ રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહી હતી: બસમાં સવાર 30 થી વધુ મુસાફરો ઘાયલ : સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા ; મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતા

બનાસકાંઠા :પાલનપુરના કાણોદર નજીક લગઝરી બસ અને ટ્રક વચ્ચે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાણોદર નજીક ઉભેલી ટ્રક પાછળ રાજસ્થાનથી અમદાવાદ જતી લક્ઝરી બસ ઘૂસી જતા બસમાં સવાર 3 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો અકસ્માતમાં 30 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેઓને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતાઓ છે.

પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બસ રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે કેવી રીતે ઉભેલી ટ્રક પાછળ ઘૂસી ગઈ તે તપાસના વિષય છે. આખરે એવુ શુ થયુ કે બસે ટ્રકને ટક્કર મારી હતી.

(11:57 am IST)