Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

બનાસકાંઠા માટે રાહરાના સમાચાર : પાલનપુરમાં વધુ આઠ દર્દીઓ કોરોના મુક્ત : હોસ્પિટલમાંથી રજા અપાઈ

બનાસકાંઠામાં કુલ 85 પોઝિટિવ કેસ અને 3ના મોત : જિલ્લામાં કુલ 49 દર્દી કોરોના મુક્ત થયા:

બનાસકાંઠાના પાલનપુરમાં વધુ 8 દર્દીઓ કોરોના મુક્ત થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પાલપુરની કોવિડ હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત 8 દર્દીઓ સારવાર બાદ રિકવર થયા છે ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 49 દર્દી કોરોના મુક્ત થયા છે. બનાસકાંઠામાં કુલ 85 કોરોના પોઝિટિવ કેસ અને 3ના મોત થયા છે. સાથેજ 49 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે ત્યારે 33 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે

(6:52 pm IST)