Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વડોદરાના વાઘોડિયા રોડ પર પરિણીતાએ દહેજના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું

વડોદરા:વાઘોડિયા રોડ પર રહેતી પરિણીતાએ દહેજના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું હતું. જો કે, અગાઉ પરિણીતાના પતિ અને સાસુ-સસરાએ એવી ખોટી વિગત જણાવી હતી કે, લીફટમાં ફસાઇ જવાથી તેનું મોત નીપજ્યું છે

અંગેની વિગત એવી છે કે, મહિસાગર જિલ્લાના ઠાસરા તાલુકાના  સેવાલીયા ગામે રહેતા નવીનચંદ્ર રાણીની પુત્રી અપેક્ષાના લગ્ન સૌરભ ભાવેશભાઇ શાહ  (રહે. શ્રીજીવિલા ડીમાર્ટ પાસે વાઘોડિયા રોડ) સાથે વર્ષ પૂર્વે થયા હતા. લગ્નજીવન દરમિયાન બે સંતાન છે. સાસુ-સસરા અને પતિના દહેજના ત્રાસથી કંટાળીને ગત ૧૦મી મેના રોજ પાંચમા માળેથી પડતું મૂકીને પરિણીતાએ જીવન ટૂંકાવી દીધું હતું. જો કે, શરૃઆતમાં પરિણીતાના સાસરિયાઓએ એવો ખોટો બચાવ કર્યો હતો કે, અપેક્ષા લીફટમાં ફસાઇ જતા તેનું મોત નીપજ્યું છે. બનાવ  અંગે પરિણીતાના ભાઇ અલ્પેશે પરિણીતાના પતિ સૌરભ, સાસુ કેતકીબેન તથા સસરા ભાવેશભાઇ શાહ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

(5:56 pm IST)