Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના કલાત્મક શણગાર

કોરોના મહામારીમાં હરિભકતો માટે મંદિરોમાં પ્રવેશ નિષેધ કરાયો છે ત્યારે ભાવિકો હાલની પરિસ્થિતિમાં ઓનલાઈન દર્શનનો લાભ લઈ રહ્યા છે. ઉનાળાની શરુઆતમાં આકરો તાપ પડવા લાગ્યો છે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત આપવા તેમજ ઠંડી મળે તે માટે ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિરમણિનગરે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી ઘનશ્યામ મહાપ્રભુ, શ્રી હરિકૃષ્ણ મહારાજને ભગવાનને ચંદનના વાઘાનો કલાત્મક શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા પૂજારી સંતોએ ભગવાનને સુગંધીમાન ચંદનના કલાત્મક શણગાર - વાઘા ધરાવ્યા હતા. સત્સંગી હરિભક્તો તથા ભાવિકોએ ચંદનના વાઘાનો શણગારનો ઓનલાઈન દર્શન કરી લાભ લીધો હતો.

 

(11:25 am IST)