Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

નજીકના ભવિષ્યમાં સુરતથી શારજાહની આંતર્રાષ્ટ્રીય ઉડાન શરુ થશે : કોચી - સુરતની ફ્લાઈટ શારજાહ સુધી લંબાશે : એરઇન્ડિયા અને SAAC વચ્ચે થઈ બેઠક

સુરત : સુરતવાસીઓને પહેલી આંતરરાષ્ટ્રીય વિમાની સેવાનો લાભ મળી શકે છે. હવે સુરતથી દુબઇની વિમાની સેવા શરૂ થાય તેવી શક્યતા છે. શારજહાં-સુરત સેવા પણ બે મહિનામાં શરૂ થઇ શકે છે. આ સિવાય એરઇન્ડિયા એક્સપ્રેસ કોચી-સુરતના રૂટની પણ જાહેરાત કરવામાં આવી છે. 

હાલમાં એરઇન્ડિયા અને SAAC વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક કોચીન ઓફિસમાં એરઇન્ડિયાના સીઇઓ શ્યામ સુંદર સાથે થઈ હતી અને SAACના સંજય ઇઝાવાએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ મિટિંગ પછી હવે કોચી-સુરત-કોચીનું સંભવિત શેડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે.

આ શેડ્યુલ પ્રમાણે ફ્લાઇટ કોચીથી સવારે 6.15 ઉપડશે અને સુરત સવારે 8.25 પહોંચશે. રિટર્નમાં એ સુરતથી 9.15એ ઉપડશે અને કોચી 11.30 કલાકે પહોંચશે. આ સિવાય શારજહાં માટેની ફ્લાઇટનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ શેડ્યુલ પ્રમાણે કોચીથી સવારે 06:15એ ઉપડી ફ્લાઇટ સુરત 08:25 પહોંચશે. સુરતથી સવારે 09:30 ઉપડી ફ્લાઇટ 11:55 કલાકે શારજાહ પહોંચશે. રિટર્નમાં આ ફ્લાઇટ 12:50 કલાકે શારજાહથી ઉપડીને 17:20 સુરત આવશે અને 18:20 કલાકે સુરતથી ઉપડી ફ્લાઇટ 20:40 કલાકે કોચી પહોંચશે.

 

(8:19 am IST)