Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

નર્મદા જિલ્લામાં ગુરુવારે કોરોના વકર્યો : ૨૬ પોઝિટિવ કેસ 555 સાથે જિલ્લાનો કુલ આંક ૨૫૬૬ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૨૬ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા રાજેન્દ્રનગરમાં ૦૧, લાલ ટાવર પાસે ૦૧, સોનીવાડમાં ૦૧ તથા નાંદોદના તરોપામાં ૦૧, વડીયામાં  ૦૧, લાછરસ માં ૦૨, ભચરવાડામાં ૦૧, ભદામમાં ૦૧,પ્રતાપનગર માં ૦૧, ધાનપોરમાં ૦૧ તથા ગરુડેશ્વર ના ઝરિયામા ૦૧, કેવડિયામાં ૦૧, આમદલામાં ૦૧ તથા તિલકવાડાના કાટકોઇ માં ૦૧, તિલકવાડામાં ૦૧ તથા ડેડીયાપાડા ના બાંડીસેરવાણ માં ૦૧, કુંડીઆંબા માં ૦૧, જામની મા ૦૧, સાબુટીમાં ૦૧, નિઘટ માં ૦૧ તથા સાગબારાના પાટમાં ૦૫ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૬ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૫૭ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૪૦ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૪૨ દર્દી દાખલ છે, આજે ૨૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૪૧૦ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૫૬૬ પર પહોચ્યો છે.આજે વધુ ૧૮૭૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:50 pm IST)