Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

સુરતના ઉમરવાડા વિસ્તારમાં રાત્રે ફોન પર કોઈની માફી માંગતા વ્યંઢળનો સવારે ફાંસી ખાઈ આપઘાત

નહેરૃનગરમાં રહેતા અફઝલ ઉર્ફે આશિકાની મળસકે ચારેક વાગ્યાના અરસામાં ઘરમાંથી લાશ મળી

 

સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતા વ્યંડળની વહેલી સવારે તેના ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. વ્યંઢળ રાત્રીના ફોન પર કોઈની માફી માંગી રહ્યો હતો.અને વહેલી સવારે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ જણાવી રહી છે.

   બનાવ અંગે મળતી માહિતી મુજબ ઉમરવાડા ખાતેના નહેરૃનગરમાં રહેતા અફઝલ ઉર્ફે આશિકા (ઉં..૨૦)ની આજે મળસકે ચારેક વાગ્યાના અરસામાં ઘરમાંથી લાશ મળી આવી હતી. તેની સાથે રહેતો બીજો વ્યંડળ મળસકે ઘરે પરત ફરતા અફઝલ ઉર્ફે આશિકાને ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોયો હતો, જેને પગલે તેણે બૂમરાણ કરી મૂકતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ત્યારબાદ પોલીસને જાણ થતા લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી.

બનાવની તપાસકર્તા સલાબતપુરા પોલીસ મથકના પીએસઆઈ એલ.જી. દેસાઈએ જણાવ્યું હતું કે, અફઝલ ઉર્ફે આશિકા છેલ્લા બે વર્ષથી વ્યંડળો સાથે જોડાયો હતો અને છેલ્લા આઠ-દસ દિવસથી પરિવારથી અલગ રૃમ કરી ઉમરવાડા ખાતે રહેવા લાગ્યો હતો. દરમિયાન તેણે આપઘાત કરી લીધો

તો. તેના આપઘાત કરવા પાછળનું કારણ પોલીસ જાણી શકી નથી, તેની સાથે રહેતા વ્યંડળોએ કહ્યું હતું કે, ગઈકાલે રાત્રીના અફઝલ ઉર્ફે આશિકા ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે વાતચીત દરમિયાન તેણે વારંવાર માફી માંગી હતી, ત્યારબાદ હતાશ થઈ ગયો હતો. તેઓ રાત્રીના નીકળી ગયા બાદ પર ફર્યા ત્યારે સવારે ઘરમાં તેને ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોયો હતો. બનાવ અંગે સલાબતપુરા પોલીસ તપાસ કરી રહી છે

(9:19 am IST)