Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મહેમદાવાદ તાલુકાના સિંહુજ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકનું કમકમાટીભર્યું મોત

મહેમદાવાદ:તાલુકાના વાંઠવાડીના ગોકળપુરા ગામે રહેતા ભેમસિંહભાઇ રાઠોડ શુક્રવારની રાતે સિંહુજ નજીક આવેલ એક પેટ્રોલપંપ પર ટ્રેકટરનુ ડીઝલ લેવા માટે ગયા હતા.ડીઝલ લઇને તેઓ વાહનની રાહ જોતા હતા તે સમયે રામાભાઇ ઉર્ફે અજયભાઇ તળપદા અને ભૂપેન્દ્રભાઇ સોમાભાઇ તળપદા મોટર સાયકલ લઇને આવ્યા હતા.અને તેઓને પણ ડિઝલ લેવાનુ હતુ.જેથી ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ ઉભા રહી વાતો કરતા હતા.તે સમયે મહુધા તરફથી આવતી એક ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઉભેલ ત્રણેય વ્યક્તિઓને અડફેટ મારી હતી.જેથી ત્રણેય વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી હતી. આ બાદ ત્રણેય વ્યક્તિઓને ૧૦૮ની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા ભૂપેન્દ્રભાઇ સોમાભાઇ તળપદાનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવ અંગે ભેમસિંહ રમણભાઇ રાઠોડે મહેમદાવાદ પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધ આવી છે. જ્યારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:04 pm IST)