Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

થરાદ નર્મદા કેનાલમાં પતિ-પત્ની અને પુત્રની મોતની છલાંગ :તરવૈયાની મદદથી મૃતદેહને બહાર કાઢી પરિવારને સોંપાયા

મૃતક પરિવાર વાવ તાલુકાનો: મગ્ર પંથકમાં શોકનો માહોલ

બનાસકાંઠામાં ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. થરાદ નર્મદા કેનાલમાં ત્રણ લોકોએ મોતની છલાંગ લગાવી છે. પત્ની-પતિ અને પુત્રએ આત્મહત્યા કરી છે. જોકે આ પ્રકારે સહપરિવારે આત્મહત્યા કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

 રાજ્યમાં કેનાલમાં આત્મહત્યા કરવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. પરંતુ થરાદનો આ કિસ્સો હચમચાવી દેનારો છે. જેમાં એક વ્યક્તિએ નહીં પરંતુ સહપરિવારે મોતને વ્હાલુ કરી લીધું છે. થરાદ નર્મદા કેનાલમાં ત્રણેય લોકોએ મોતની છલાંગ લગાવી છે.

 પ્રાથમિક માહિતી અનુસાર, અગમ્ય કારણોસર લગાવી 3 લોકોએ આત્મહત્યા કરી હોવાનું મનાઇ રહ્યું છે. તરવૈયાની મદદથી મૃતદેહને બહાર કાઢી પરિવારને સોંપાયા છે. મૃતક પરિવાર વાવ તાલુકાનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

  પત્ની-પતિ અને પુત્રએ એક સાથે આત્મહત્યા કરતા પરિવાર માથે આભ ફાટી પડ્યું છે. સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે. ત્યારે આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી

(7:58 pm IST)