Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નવા કાર્યલયનું મોહન ભાગવતજીના હસ્તે લોકાર્પણ

હેડગેવાર ભવન જૂના કાર્યાલયને તોડી નવું અને અધ્યતન બિલ્ડિંગ ઉભું કરાયું

આરએસએસના નવા હેડકવાટરનું ભાગવતજીએ ઉદ્ઘાટન કર્યુ: રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના અમદાવાદ સ્થિત નવા મુખ્યાલયનું આજે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતજીએ ઉદ્ઘાટન કર્યુ હતું.

અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંધ (આરએસએસ)નાં વડા મોહન ભાગવત બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. પોતાની ગુજરાત મુલાકાત દરમ્યાન મોહન ભાગવતે અમદાવાદ ખાતે આરએસએસનાં નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું.

મણિનગર ખાતે આવેલ આરએસએસના કાર્યાલયનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે, જેનું લોકાર્પણ મોહન ભાગવતના હસ્તે કરવામાં આવ્યું. કાંકરિયા, મણીનગર વિસ્તારમાં આવેલા હેડગેવાર ભવન જૂના કાર્યાલયને તોડી નવું અને અધ્યતન બિલ્ડિંગ ઉભું કરવામાં આવ્યું છે

(3:30 pm IST)