Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

સુરતમાં આધેડ LIC એજન્ટની બલેશ્વરના જૈન દેરાસરની ધર્મશાળામાં આત્મહત્યા : ચકચાર

રૂમમાં સિલિંગ સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત રહેતા અને LIC કંપની સાથે જોડાયેલા આડેધે બે દિવસ અગાઉ બલેશ્વર ખાતે ને.હા.48 પર આવેલા જૈન દેરાસરની ધર્મ શાળા રૂમ લઈ રૂમમાં અગમ્ય કારણો સર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી

મળતી માહિતી અનુસાર સુરત શહેરના વેસુ રોડ વાસ્તુ ગ્રામ સોસાયટીના F 512 નંબર મકાનમાં રહેતા બ્રિજેશભાઈ શાંતિલાલ શાહ (48) નાઓ એલ.આઈ.સી.ના એજન્ટ તરીકે ફરજ બજાવે છે ગત ગુરુવારે સાંજે 5: 30 વાગ્યાના અરસામાં પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં આવેલ ને.હા.48 પરંના જૈન દેરાસરમાં આવ્યા હતા ને રાત્રી રોકાણ માટે રૂમની માંગણી કરી હતી તેઓએ રિસેપશમમાં જણાવ્યું હતું કે અન્ય ત્રણ લોકો પણ મારી સાથે આવે છે જેથી મેનેજમેન્ટએ તેમને V 123 નંબરની રૂમ આપી હતી જે બાદ રૂમમાં ગયા બાદ તેઓ બીજે દિવસે મોડી સવાર સુધી તેઓના રૂમની દરવાજો નહિ ખોલતા ધર્મશાળાના સ્વીપરએ બારીમાંથી જોતા બ્રિજેશભાઈની લાશ સિલિંગ સાથે લટકતી હતી બ્રિજેશ શાહે અગમ્ય કારણો સર રૂમના પહેલા રૂમમાં સિલિંગ સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ઘટનાની જાણ પલસાણા પોલિસને કરવામાં આવતા પોલિસે લાશનો કબજો મેળવી પી.એમ.અર્થે મોકલી હતી પી.એમ.માં પણ હેગિંગના કારણે મોત થયાનું બહાર આવતા પલસાણા પોliસે અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરી પરિવારના સભ્યોના નિવેદન લેવાની તજવીજ હાથધરી છે

(10:31 pm IST)