Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

અમદાવાદની વીએસ મામલે કોંગ્રેસ નેતાઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરી રાજુઆત

ગરીબોને અન્યાય નહીં થાય અને આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરવા રૂપાણીએ ખાતરી આપી

અમદાવાદ ;અમદાવાદની વીએસ હોસ્પિટલ મામલે છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસ દ્વારા વીએસ બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે પૈકી ગ્યાસુદિન શેખ સહીત કોંગી નેતાઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આ મુદ્દે મળીને રજૂઆત કરતા સીએમે આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરવાની બાંહેધરી આપવાની સાથે કહ્યુ કે વીએસ હોસ્પિટલમાં ગરીબોને કોઇ અન્યાય નહીં થાય. કોંગી નેતાઓએ પોતાની રજૂઆતો અંગે સીએમને આવેદનપત્ર પણ આપ્યુ હતું.

(10:05 pm IST)