Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ઉંઝામાં યજ્ઞ સંદર્ભે એસટી તંત્ર ૪૦૦ એકસ્ટ્રા બસો દોડાવશે

અમદાવાદ, તા. ૧૪ : મહેસાણા જીલ્લાના ઉંઝામાં ૧૮થી રર ડીસેમ્બર સુધી ઉમિયા માતાજીના લક્ષચંડી યજ્ઞ-જબરા મહોત્સવ અંગે લોકોની સુવિધા માટે એસટી તંત્ર ૪૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે.

મહેસાણા એસટી ડીવીઝનના જણાવ્યા મુજબ આ માટે સ્પેશયલ એક બસ સ્ટેન્ડ ઉભુ કરાશે. કેવલેશ્વર મંદિર પાછળથી વીસનગર, વીજાપુર, હિંમતનગર, ઇડર, ગોધરા, ગાંધીનગર તરફ જવા માટે બસો મળશે.

જયારે વણાગલા રોડ, મલાઇ તળાવ પાસેથી પાલનપર, ડીસા, ભૂજ, પાટણ, હીરાજ, સમી, વડનગર, ખેરાલૂ, સનલાસણાની બસો મળશે.

અને ઉંઝા-મહેસાણા હાઇવે પરથી મહેસાણા, બહુચરાજી, કડી, કલોલ, અમદાવાદ, દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફથી બસો મળશે.

(11:50 am IST)