Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

કોંગ્રેસ હિન્દુત્વની સાથે દરેક જ્ઞાતિઓની સાથે ચાલનારો પક્ષ : માધવસિંહ સોલંકી

પૂર્વ મુખ્યમંત્રીનું મતદાન બાદ નિવેદન

રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ ગજાના નેતા શ્રી માધવસિંહ સોલંકીએ ઘણા લાંબા સમય બાદ નિવેદન કર્યુ છે : તેઓએ મતદાન કર્યા બાદ પત્રકારોને જણાવ્યુ હતું કે, કોંગ્રેસે માત્ર હિન્દુત્વને જ અપનાવી લીધુ હોય તેવુ હું માનતો નથી, આ પક્ષ દરેક જ્ઞાતિઓને સાથે લઈને ચાલનારો પક્ષ છે, આજે બપોરે બનેલા રોડ શોની ઘટના અંગેના પ્રશ્નમાં તેઓએ જણાવેલ કે જે અયોગ્ય છે તે અયોગ્ય જ છે તમે કોઈપણ પક્ષમાં હોવ, પણ વિવેકી અને યોગ્ય શબ્દોનો જ ઉપયોગ કરવો જોઈએ

(4:19 pm IST)