Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સુરતના અડાજણના વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત મામલે ત્રણ શખ્શો વિરુદ્ધ ગુન્હો દાખલ :પિતા-પુત્રની ધરપકડ

સુરત અડાજણ વિસ્તારમાં રહેતા ઘનશ્યામ ઠક્કર નામના વેપારીએ વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા આ મામલે ત્રણ લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો હતો

 આ વેપારી ચૌટાપુલમાં પોતાનો શો રૂમ ધરાવે છે. પોલીસને વેપારીના ઘરેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં પઠાણી ઉઘરાણી કરનારા જહાંગીરપુરાના પિતા-પુત્રો સુભાષ કોટક. દયા કોટક અને ગિરીશ કોટકનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 ઘટનાના પગલે વેપારીના પુત્રએ પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ લોકો વિરુધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે પિતા અને બે પુત્રોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:36 pm IST)