Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રાજ્યની અસંવેદનશીલ સરકારને કારણે ખેડૂતો કરી રહ્યાં છે આપઘાત :ધારાસભ્ય નૌશાદ મીરનો આરોપ

સરકાર ખેડૂતો માટે યોગ્ય પગલા નહી ભરે તો સરકાર વિરૂદ્ધ કોંગ્રેસ આંદોલન કરશે.

દસાડાના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકીએ રાજ્યમાં ખેડૂતોના આપઘાત મામલે જણાવ્યુ કે, રાજ્યની વિજય રૂપાણીની સરકાર અસંવેદનશિલ છે જેથી ખેડૂતો આપઘાત કરી રહ્યા છે.

  નૌશાદ મીરે વધુમાં કહ્યું હતું કે ભાજપન રાજમાં દવા અને બિયારણના ભાવ વધ્યા છે. જેથી ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. સરકારે પહેલી ડિસેમ્બરથી અછતની જાહેરાત કરી છે તે ઈરાદા પૂર્વ કરવામાં આવી છે. નૌશાદ સોલંકી વધુમાં કહ્યુ કે, સરકાર ખેડૂતો માટે યોગ્ય પગલા નહી ભરે તો સરકાર વિરૂદ્ધ કોંગ્રેસ આંદોલન કરશે.

(7:59 pm IST)